top of page

ચાલો ચોમાસા ને સ્વસ્થતા થી આવકારીએ:-


કોરોના હજુ ગયો નથી..શહેરો હજુ પૂરેપૂરા ખુલ્યા નથી અને ચોમાસુ બેઠું. જો કે કોરોના ના ડર થી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયેલી પ્રજામાંથી ધીરે ધીરે વેક્સિન મૂકવી સજ્જ થઈ છે. આ ઉપરાંત, ગત દોઢ વર્ષ થી ઇમ્યુનીટી ના નામ પર ખૂબ જાગૃતિ આવી ચૂકી છે. છતાં ચોમાસુ રોગો દસ્તક દે એ પહેલાં એ માટે તૈયાર રહેવું જરૂરી બને

ચોમાસુ આવતાં ફ્લૂ, ડાયેરિયા, મચ્છરો નો ઉપદ્રવ વધતાં મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસો જોવા મળી શકે.આવો, નીચે પ્રમાણે ના કાળજી ના પગલાં લઈએ..

1. ઠંડુ પ્રવાહી પીવાનું ટાળીએ : શક્ય ત્યાં સુધી રૂમ ના તાપમાન નું પ્રવાહી લઈએ. બને તો ગરમ પાણી માં આદુ , હળદર ઉમેરી પીએ.

2. દિવસ માં ૨ વાર હળદર વાળું દૂધ પીએ :- હળદર એન્ટી વાઇરલ તથા એન્ટી બેક્ટેરિયલ ખૂબી ઓ ધરાવે છે તેથી તેનું વધુ સેવન કરીએ.

3. ૨ વાર લીંબુ પાણી ( ગરમ પાણી માં) પીએ. લીંબુ નું વિટામિન સી રોગપ્રિકારકશક્તિ વધારે અને તેમાં રહેલું પોટેશિયમ ડીહાઇડ્રેશન સામે રક્ષણ આપે .

4. વાસી ખોરાક ટાળીએ. વાસી ખોરાક માં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા પાચનતંત્ર માં ઇન્ફેક્શન કરી શકે છે. જે રોગપ્રિકારકશક્તિ ઘટાડે છે. 5. ખોરાક ખુલ્લો ન મૂકીએ. ખુલ્લા ખોરાક પર માખી તથા અન્ય જંતુ ઓ બેસીને ખોરાકમાં હાનિકારક જીવો ભેળવે છે જે ચોમાસુ રોગો નું કારણ બની શકે.

6. ખાટા મીઠા સિઝનલ ફળો નું નિયમિત સેવન કરીએ. સીઝનલ ફળો જે તે ઋતુ માં તાપમાનના ફેરફાર અને ઋતુગત માંદગી સામે રક્ષણ આપતા પોષકત્ત્વો ધરાવતાં હોય છે. એમનું સેવન અચૂક કરવું જોઈએ.

7. ખૂબ પ્રવાહી નું સેવન કરો. પ્રવાહી નું યોગ્ય માત્રા માં સેવન લોહીની pH ને નિયંત્રણ માં રાખી શરીર માં એસિડ નું પ્રમાણ ઘટાડે છે.

8. દહી પ્રોબાયોટિક બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડાં ને સ્વસ્થ રાખે છે. તો ખોરાક માં નિયમિત ઘરના બનાવેલ દહી નુંસેવન કરો

9. શાકભાજી – ફળો યોગ્ય રીતે ધોયા બાદ જ ઉપયોગ માં લો.

10. તળેલો ખોરાક ખાવાનો ટાળો:- ચોમાસા માં પાચનક્રિયા મંદ પડે છે. અહી પુષ્કળ ચરબીયુક્ત પદાર્થો નું સેવન પાચનતંત્ર પર ભારણ વધારે અને ગેસ અપચા જેવી તકલીફો ઉત્પન્ન થઈ શકે. શક્ય એટલો પચવામાં હલકો ખોરાક ખાઓ

11. યોગાસનો અને પ્રાણાયામ શરીર માં એનર્જી નો સંચાર કરે અને ફેફસાં ની કાર્યશીલતા માં વધારો કરી ફેફસાં ની ઓકસીજન સંગ્રહ કરવા ની ક્ષમતા માં વધારો કરે જે ઋતુગત બીમારી અથવા કોરોના માટે પણ એટલું જ અગત્ય નું છે.

આમ, આટલા સાવચેતી ના પગલાં આપને શારીરિક માનસિક રીતે આ ચોમાસે રોગ નો સામનો કરવા માટે આપને સજ્જ રાખશે.


52 views0 comments

Recent Posts

See All

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

bottom of page